આ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગિરનાર અને તેની ચોપાસનો વિસ્તાર હિન્દુ, જૈન, બૌદ્ધ ત્રણેય મુખ્ય પરંપરાના આશ્રયસ્થાન – સાધનાસ્થાન તરીકે અતિ પ્રાચીન છે. સૌરાષ્ટ્રના જ નહીં પણ ગુજરાતના આ સૌથી ઊંચા પર્વત માટે કહેવાયું છે કે ‘મૃગચર્મ ઓઢીને કોઈ યોગિરાજ સમાધિમાં બેઠા હોય તેવો દેખાય છે.’ લેખક ક્મ્પ્યુટર વિજ્ઞાનના પ્રૉફેસર છે. એમણે ગિરનારની લીલી પરિક્રમા અને આરોહણના સ્વકીય અનુભવો અહીં આપ્યા છે. પ્રજાજીવન માટેનો એમનો પ્રેમ પણ અહીં વ્યક્ત થયો છે. લેખકે આ ભૂમિમાં વારંવાર ભ્રમણ કરી, અનેક પાસાંઓનો સમગ્રલક્ષી અભ્યાસ કર્યો અને એના પરિપાક રૂપે જે પુસ્તક પ્રાપ્ત થયું છે.
Reviews
There are no reviews yet.