rangdwar.com

નંદીઘર

150.00

Category:

Auther Name : રઘુવીર ચૌધરી

Published Year: 2018

વાર્તાલેખન વધુ ને વધુ સાદગી સુલભ થતી જાય અને ‘અપ્રસ્તુત કથન’ ઘટતું જાય એ મને ઇષ્ટ છે. વાર્તાકાર રઘુવીરની આ માન્યતાનું પ્રતિબિંબ એમના વાર્તાસંગ્રહ ‘નંદીઘર’ની તમામ વાર્તાઓમાં પડે છે. એકાદ ઉદાહરણ જોઈએ – ‘જગા ધૂળાનો જમાનો’ વાર્તા કેન્દ્રમાં છે બે જમાના વચ્ચેનાં મૂલ્યોના બદલાવ અને ટકરાવમાંથી પેદા થતી અસહ્ય પરિસ્થિતિ. આ પરિસ્થિતિને લીધે સતત મૂંઝાતો રહેતો અને છેવટે એકલો પડી જતો જગો ચિત્તભ્રમની અવસ્થામાં સરી પડે છે.

નારીપ્રધાન વાર્તા ‘મોના દેસાઈ’ની મોના પીએચ.ડી.નો શોધનિબંધ લખતાં એના માર્ગદર્શક ‘સર’ સાથે ખુલ્લા મને વાત કરી શકે છે. સર પ્રત્યેનો આદર સર પ્રત્યેના પ્રેમમાં પરિણમતાં વાર લાગતી નથી. સર એને ડૉ. વૈષ્ણવનો વિકલ્પ પણ સૂચવે છે. પરંતુ બંનેમાંથી કોઈની સાથે મોનાને જોડાવાનું થતું નથી. છતાં વાર્તા રસપ્રદ બને છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “નંદીઘર”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart