It is a collection of short stories written by Sanjay Chaudhary in Gujarati language.
જાણીતા લેખક શ્રી કિરીટ દૂધાત જણાવે છે કે –
“ઊઘડતી દિશા – સંજય ચૌધરીની વાર્તાસૃષ્ટિ : સહેજ નોખો અવાજ”
મને કોઈ વાર્તાકાર કે નવલકથાકારમાં રસ પડે તો પહેલાં એ તપાસું કે એના સર્જનમાં કોઈ સ્થાયી કથાવસ્તુ (perennial theme) છે કે કેમ? આપણે પ્રશ્ન પૂછીએ કે વાર્તાકાર સંજય ચૌધરીનું કોઈ આવું સ્થાયી કથાવસ્તુ છે કે કેમ? તો મને એનો જવાબ મળ્યો છે કે હા છે. શું છે આ થીમ? આ વાર્તાકારનું થીમ છે એના નાયક / કથકમાં પ્રગટ થતી અન્યો તરફની સમસંવેદનાયુક્ત જીવનદૃષ્ટિ. એમના કથકો પોતાની જિંદગીમાં સુરક્ષિત રીતે ગોઠવાયેલા છે પરંતુ એમણે આસપાસની દુનિયાથી મોં ફેરવી લીધું નથી. વાર્તાના કથનમાં એમનો સંવેદનાપૂર્ણ દૃષ્ટિકોણ વાચકને પણ વિચારવા પ્રેરે છે અને વાર્તાનાં પાત્રો અને વર્તમાન પરિસ્થિતિ નિમિત્તે જીવતા માણસોની સમસ્યાઓ વિશે સભાન કરે છે.
સર્જક સંજયની શક્તિઓ એમની ઉત્તર ગુજરાતની પૃષ્ઠભૂમાં લખાયેલી ગ્રામસંવેદનાની વાર્તાઓમાં પૂરેપૂરી પ્રગટ થાય છે. ‘ઊઘડતી દિશા’ હોય કે ‘વૅલ્યૂ’ કે પછી ‘નાળું’ એનાં પાત્રોનાં માનસનાં એકથી વધુ સ્થિત્યંતર સાત-આઠ પાનાંની વાર્તામાં સંજય ચૌધરી જે રીતે નિરૂપી શકે છે ત્યાં એમની કલમની પ્રૌઢિ દેખાય છે. એમની વાર્તાનાં પાત્રો આમ તો દરેક ઉંમરનાં છે પણ કિશોરો અને યુવાનોનાં માનસનું નિરૂપણ લેખક સચોટ રીતે કરી શકે છે. લેખક તરીકે સંજય ચૌધરી પોતાની શહેરી અને ગ્રામચેતનાની વાર્તાઓથી અલગ છાપ પાડે છે. તો ગુજરાતી ટૂંકી વાર્તાના આ સહેજ નોખા અવાજનું આપણે સ્વાગત કરીએ.”
– કિરીટ દૂધાત
Weight | 200 kg |
---|---|
Dimensions | 21 × 14 × 1.5 cm |
Reviews
There are no reviews yet.